મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે બાઈક સહિત નાલામા પડતા જોધપરના યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા પાસે બાઈક સહિત નાલામા પડતા જોધપરના યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે મોડી રાત્રિના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક બાઈક સહિત રોડ સાઈડમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલના નાલામાં પડી ગયો હતો જેથી માથાના તેમના શરીરના અન્ય ભાગે થયેલી ઇજાઓના કારણે તેનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે સવારે જાણ થતા મૃતક યુવાનના મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પીએમ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર (મચ્છુ નદી) ગામે રહેતો કૈલાશભાઇ વિનોદભાઈ ઉભડિયા નામનો ૩૮ વર્ષીય યુવાન જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક આવેલ કારખાનામાં કોઇ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોય કૈલાષભાઇ ઉભડીયા તા.૩૧-૭ ની મોડીરાત્રીના પોતાનું બાઈક લઈને પાવડીયારી તરફથી પોતાના ઘેર જોધપર તરફ જવા માટે નિકળ્યા હતા.ત્યારે રસ્તામાં વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે પાવર હાઉસ નજીક આરટીઓના સર્વિસ રોડ ઉપરથી તે પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક રોડની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા નાલા સાથે અથડાયું હતું અને કૈલાશભાઈ બાઇક સહિત નાલામાં પડી જતા માથા તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ કૈલાશભાઈનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે ગઇકાલ તા.૧-૮ ના સવારે જાણ થતા તેઓના ડેડબોડીને પીએમ માટે સિવિલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને કપાળમાં ઇજા થતા હેમરાજના લીધે તેનું મોત થયું હોવાના પ્રાથમિક અનુમાન સાથે હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો.ઘર પાછળ વાવવામાં આવેલા વૃક્ષોની ફરતે કરવામાં આવેલ લાકડાની વાળને હટાવી દેવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને અગાઉ અમુક ઇસમોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ગઈકાલે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર જાતે સતવારા (૬૫) ધંધો કડીયાકામ રહે.શ્રદ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News