મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE









મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

નિયામક આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદ   તથા હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે તમામ વિદ્યાર્થીઓ,  વાલીઓ તેમજ જાહેર જનતાને અપીલ કરેલ છે

મોરબીમાં આગામી શુક્રવારને તા ૫ ના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક સુધી કેમ્પ યોજાશે તે કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા, અને ડૉ. હેતલબેન હળપતિ સેવા આપશે અને આ કેમ્પમાં આયુર્વેદિક તેમજ હોમિયોપથિક નિદાન અને સારવારમ, આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ  યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ  માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર વિનામુલ્યે કરવામાં આવશે તેમજ "ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ" આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામા આવશે






Latest News