મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના કવાડીયા પાસે કેનાલમાં હાથ પગ ધોવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયેલ યુવાન પાણીમાં ડુબી જતાં તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દિપકભાઇ મહાદેવભાઇ ચારોલા (ઉંમર ૨૮) ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં નર્મદાની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા ત્યારે પગ લપસી જવાથી તેઓ કેનાલમાં પડી ગયા હતા અને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે દીપકભાઈ ચારોલા ઘટનાસ્થળે જ મોત નિપજયુ આ બનાવની જાણ થતા તરવૈયાઓને બોલાવીને કેનાલમાં વહેતા પાણીમાંથી દીપકભાઈની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની અરજણભાઈ શંકરભાઈ ચારોલા (૫૦) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન પાણીમાં ડુબી ગયો

માળીયા તાલુકાના વાધરવા ગામની સીમમાં નર્મદા પાણી પુરવઠાનું તળાવ આવેલ છે જેમાં રેલવે લાઈનમાં ગેંગમેન તરીકે કામ કરતાં મનોજભાઈ અરજણભાઈ ધામેચા (૩૦) ગત તારીખ ૧૩/૮ ના બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પાણી પીવાની બોટલ ભરવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાના કારણે મનોજભાઈ અરજણભાઈ ધામેચાનું આ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની તેઓના મોટાભાઈ ભરતભાઈ અરજણભાઇ ધામેચાએ પોલીસને જાણ કરી હતી જેથી માળિયા તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધનું મોત

માળીયા તાલુકાના ઘાંટીલા ગામે રહેતા નરસીભાઇ પ્રેમજીભાઈ સનીયારા (ઉંમર વર્ષ ૮૦) ગત તા. ૧૭/૭ ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News