વાંકાનેરના ઢુવા પાસે બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત
મોરબીના કુલીનગરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના કુલીનગરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબી શહેરના વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર-૧ માં રહેતા રમજાનભાઈ જાફરભાઈ ખોખર (ઉમર ૨૭) એ પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા દેવરાજ વિપુલભાઈ બાર (ઉંમર ૧૧) ને હોથીપીરની દરગાહ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધે હતો જેથી તેને ઇજા થઈ હતી માટે બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે