વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત
SHARE
વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત
વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા જયંતિભાઈ અમરશીભાઈ ટુડીયા (ઉંમર ૬૫) એ વાંકાનેર નજીક આવેલ મચ્છુ નદી ઉપરના પુલ ઉપરથી નદીમાં નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે તેનો દીકરો કૌશિકભાઈ ટુંડિયા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઝેરી દવા પી લીધી
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પાર્વતીબેન કાળુભાઈ પરમાર (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે