ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE













 

વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા જયંતિભાઈ અમરશીભાઈ ટુડીયા (ઉંમર ૬૫) એ વાંકાનેર નજીક આવેલ મચ્છુ નદી ઉપરના પુલ ઉપરથી નદીમાં નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે તેનો દીકરો કૌશિકભાઈ ટુંડિયા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લીધી

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પાર્વતીબેન કાળુભાઈ પરમાર (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News