મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

મોરબી જિલ્લામાં લોકોને ઇ એફઆઇઆર માટે પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસમાં રહેતા યુવાનનું બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી થોડા સમય પહેલા બાઇક ચોરી થયું હતું જેથી તે યુવાને ઇ એફઆઇઆર નોંધાવી હતી જેથી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને ૨૦૦૦૦ ની કિંમતનું બાઈક ચોરી કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા શાળા કોલેજોમાં જઈને અને વિવિધ જગ્યા ઉપર લોકોને ઈ એફ.આઇ.આર મુદ્દે સમજણ આપવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ નગરમાં શ્રીજી પેલેસમાં રહેતા ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ ઇ એફઆઇઆરથી પોતાનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૪ ના રાત્રિના દસેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૪ વાગ્યા સુધી મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેટ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૭૪૩૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ઈ એફઆઇઆરની મદદથી મળેલ ફરિયાદને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ સવજીભાઈ આહીર (ઉંમર ૪૧) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવવાની પોલિસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News