મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ
મોરબીના મકનસર પાસે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના મકનસર પાસે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાયો ગુનો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામ પાસે આવેલ કોમેન્ટ સિરામિક પાસે ત્રણ રસ્તા નજીક રોડ સાઈડમાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં બાઇક સાથે યુવન પડ્યો હતો ત્યારે બાઇક ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના પિતાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જોધપર નદી ગામે રહેતા કૈલાશભાઈ વિનોદભાઈ ઉભડિયા (ઉમર ૩૭) થોડા સમય પહેલા પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૪૪૨૮ લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે કોમેન્ટ સિરામિક બાજુ જવાના ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે સર્વિસ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ખુલ્લી ગટરમાં તે બાઈક સાથે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી કૈલાશભાઈ ઉભડીયાનું મૃત્યુ નીપજ્યું હતું અને જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના પિતા વિનોદભાઈ પાલાભાઈ ઉભડિયા (ઉંમર ૫૮) રહે. જોધપર વાળાની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે બાઈક સ્લીપ થઈ જવાથી કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા અશોકભાઈ થાવરધરી રત્નાણી (ઉંમર ૩૦)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે