મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટ વિસ્તારમાં રહેતી બહેનના ઘરે આવેલા ભાઈએ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી નજીકના લીલાપર રોડ ઉપર આવેલ નીલ કમલ સોસાયટી પાસે ઇન્ડિયા ટાઇલ્સ સામેના ભાગમાં રહેતો જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉમર ૨૭) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં રહેતા તેના બેન જશીબેનના ઘરે આવ્યો હતો અને ત્યારે રસોડામાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન એકાદ વર્ષ પહેલાં કારખાને કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જવાથી તેને માથાના ભાગે ઇજા થઈ હતી અને તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું જોકે તે પોતાની જાતે ગમે ત્યારે માનસિક સંતુલન ખોઈ બેસતો હોય નીચે પડી જતો હતો જેથી કંટાળીને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

ઝેરી દવા પી ગયો

મોરબીની વાવડી ચોકડી પાસે મફતિયાપરામાં ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ મૂળજીભાઈને જમવા બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને જેથી કરીને તેને લાગી આવતા તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News