મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટ વિસ્તારમાં રહેતી બહેનના ઘરે આવેલા ભાઈએ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી નજીકના લીલાપર રોડ ઉપર આવેલ નીલ કમલ સોસાયટી પાસે ઇન્ડિયા ટાઇલ્સ સામેના ભાગમાં રહેતો જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉમર ૨૭) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં રહેતા તેના બેન જશીબેનના ઘરે આવ્યો હતો અને ત્યારે રસોડામાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન એકાદ વર્ષ પહેલાં કારખાને કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જવાથી તેને માથાના ભાગે ઇજા થઈ હતી અને તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું જોકે તે પોતાની જાતે ગમે ત્યારે માનસિક સંતુલન ખોઈ બેસતો હોય નીચે પડી જતો હતો જેથી કંટાળીને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

ઝેરી દવા પી ગયો

મોરબીની વાવડી ચોકડી પાસે મફતિયાપરામાં ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ મૂળજીભાઈને જમવા બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને જેથી કરીને તેને લાગી આવતા તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News