ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીના કાળીપાટ વિસ્તારમાં બહેનના ઘરે આવેલા ભાઈએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કાળીપાટ વિસ્તારમાં રહેતી બહેનના ઘરે આવેલા ભાઈએ ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી નજીકના લીલાપર રોડ ઉપર આવેલ નીલ કમલ સોસાયટી પાસે ઇન્ડિયા ટાઇલ્સ સામેના ભાગમાં રહેતો જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉમર ૨૭) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં રહેતા તેના બેન જશીબેનના ઘરે આવ્યો હતો અને ત્યારે રસોડામાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન એકાદ વર્ષ પહેલાં કારખાને કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જવાથી તેને માથાના ભાગે ઇજા થઈ હતી અને તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું જોકે તે પોતાની જાતે ગમે ત્યારે માનસિક સંતુલન ખોઈ બેસતો હોય નીચે પડી જતો હતો જેથી કંટાળીને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાનું હાલમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે

ઝેરી દવા પી ગયો

મોરબીની વાવડી ચોકડી પાસે મફતિયાપરામાં ઝુપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ મૂળજીભાઈને જમવા બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને જેથી કરીને તેને લાગી આવતા તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News