હળવદના રાણેકપર-ટંકારાના લજાઈમાં એલસીબીની રેડ: ૧૩ જુગારી ૧.૩૨ લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબીમાં સદગતના બેસણામાં રક્તદાન કેમ્પ-વૃક્ષાના રોપઓનું વિતરણ કરતો વિરમગામા પરિવાર
SHARE
મોરબીમાં સદગતના બેસણામાં રક્તદાન કેમ્પ-વૃક્ષાના રોપઓનું વિતરણ કરતો વિરમગામા પરિવાર
મૂળ માળિયા તાલુકાના સરવડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે રહેતા વજીબેન ચકુભાઈ વિરમગામાનું અવસાન થતા તેઓના પરિવારજનો દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શિવહોલ ખાતે સદગતનું બેસણું રાખવામાં આવ્યું હતું અને બેસણાની સાથો સાથ લોકોને પણ પ્રેરણા મળે તે માટે અને અન્ય લોકોના જીવ સંકટ હોય ત્યારે લોહીની જરૂર પડે અને તાત્કાલિક લોહી મળી રહે અને જીવ બચાવી શકાય તેવી ભાવના સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં લગભગ ૨૫ થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આટલું નહીં પરંતુ પર્યાવરણના જતન માટે થઈને વિરમગામમાં પરિવાર દ્વારા બેસણામાં આવેલા લોકોને જુદા જુદા વૃક્ષના રોપા પણ આપવામાં આવ્યા હતા અને વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી પર્યાવરણને બચાવવા માટે થઈને સમાજને એક નવો મેસેજ આપવામાં આવ્યો હતો આમ રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણના મેસેજ સાથે મોરબીમાં અન્ય લોકોને પણ પ્રેરણા આપતા દુર્લભજીભાઈ ચકુભાઈ વિરમગામા, નરબેરામભાઈ ચકુભાઈ વિરમગામા, અશોકભાઈ ચકુભાઈ વિરમગામા અને વિપુલભાઈ ચકુભાઈ વિરમગામા તેમજ તેઓના પરિવારજનોના આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું









