ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બિરાજતા જડેશ્વર દાદાનો આજે પ્રાગટ્ય દિવસ :ભવ્ય રવાડીમાં શોભાયાત્રા, મેળો યોજાયો


SHARE











મોરબી જીલ્લામાં બિરાજતા જડેશ્વર દાદાનો આજે પ્રાગટ્ય દિવસ :ભવ્ય રવાડીમાં શોભાયાત્રા, મેળો યોજાયો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે.તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે.જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે.તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે.ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જનમમાં તેઓ અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો.જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી.પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન્હોતી જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. 

ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતુ અને દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વશ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે,  જડેશ્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે જેથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. ૧૮૬૯માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા.આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે લોક મેળો યોજાતો હોય છે જેમાં ગઈકાલ તા.૭-૮ ના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ લોક મેેળાનો ગઈકાલ તા.૭ અને આજે તા.૮ ના રોજ મોરબી જિલ્લા તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાંથી લોકોએ મોટી સંખ્યામાં મેળો માણ્યો હતો. સાથેસાથે દેવદર્શનનો પણ શ્રાવણ માસમા મહિમા હોય મોટી સંખ્યામાં શિવભકતોએ શિવજીના દર્શન તેમજ અર્ચન પૂજન કર્યું હતું.આજે તા.૮ ના રોજ શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવનો પ્રાગટ્ય દિવસ ઉજવાતો હોય ભવ્ય રવાડી યોજવામાં આવી હતી અને આ રવાડી મંદિર પરિસર ઉપરાંત મેળા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી ફરીને નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.






Latest News