મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રબારી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વની પૂરી તક આપવા કરાઇ રજૂઆત


SHARE







મોરબી જિલ્લામાં રબારી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વની પૂરી તક આપવા કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા રબારી સમાજના આગેવાન દ્વારા નામદાર નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને અધિક કલેક્ટર મારફતે રજુઆત કરવામાં આવી છે અને આ સમાજને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની વસ્તી સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને રાજકીય ક્ષેત્રે કોઈ અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વ કરવાની પૂરી તક આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઈ રબારી દ્વારા જિલ્લાના અધિક કલેટરને લેખિતમાં રજૂઆત કરીને નામદાર નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રબારી  સમાજ આજની તારીખે પણ રખડતુ અને ભટકતુ જીવન પશુપાલન સાથે જીવે છે આ સમાજની મોરબી જિલ્લામાં આશરે ૩૦,૦૦૦ થી પણ વધુ મતદારો ધરાવીએ છીએ અને સમાજ ઓબીસીમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે મુખ્યત્વે સમાજના લોકોનો વ્યવસાય આજની તારીખે પણ ઘેટા, બકરા અને પશુપાલન તેમજ પશુ ચરાવવાનો છે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નહિવત છે

સમગ્ર જિલ્લામાં ધો. ૧૦ પાસ સમાજના લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમજ સ્નાતક નહિવત જ છે અને કન્યા શિક્ષણ નહિવત છે શિક્ષણના અભાવે જાગૃતિનો ખૂબ જ અભાવ છે અને ભાગના લોકો પાસે જીવનનિર્વાહ માટે ખેતીની જમીન ખૂબ જ ઓછા લોકો પાસે છે જયારે મોટા ભાગના લોકો ભૂમિ હિન સ્થિતિમાં અન્ય કામ કે મજુરી કરી રહ્યા છે અને ઘણા લોકોને તો પાકા મકાન પણ નથી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પ્રતિનિધિત્વઃ મુખ્યત્વે ગુજરાત રાજયમાં દરેક સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવેલી છે અને આ જિલ્લામાં સામાજ નહીવત પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ સમાજને પુરતુ રાજકીય પ્રતિનિધિત્વ આપવા માટે પુરતી તક મળેલ નથી તેમજ વસ્તી તથા વ્યવસાય સમગ્ર જિલ્લામાં વધુ વસતી હોવા છતાં પણ રાજકીય રીતે પુરતુ અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તો તેમના બંધારણીય અને કાયદાકીય અધિકાર માટે યોગ્ય રાજકીય અનામત માટે રજુઆત કરી છે અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની રાજકીય ક્ષેત્રે કોઈ અન્યાય ન થાય તેવી રજુઆત છે






Latest News