વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન
મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા
SHARE
મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા
ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હોય માતમ મનાવવા માટે લોકો તાજીયા જુલુસમાં એકત્રિત થયા હતા.આ ઝુલુસ દરમ્યાનમાં મોરબી અને વાંકાનેર ખાતે હથીયાર લાગી જવાના બે બનાવો બન્યા હતા.જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હતો.જેમાં માતમ મનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.મોરબી જિલ્લામાં મોરબી સીટી તેમજ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે માળિયા(મિંયાણા), વાંકાનેર, ટંકારા અને હળવદ સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માતમ મનાવવામાં આવ્યું હતું અને તે દરમિયાન નીકળતા તાજીયા જુલુસમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.મોરબીમાં તાજીયા જે તે વિસ્તારોમાં ફર્યા હતા અને રાત્રે નગર દરવાજા ચોકમાં ઠંડા પડ્યા હતા.આ દરમિયાન હથીયાર લાગી જવાના બે બનાવો સામે આવ્યા છે.જેમાં મોરબીના સબજેલ ચોક પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હસનભાઈ ઉસ્માનભાઈ બલોચ નામના 27 વર્ષીય યુવાનને તાજીયા જુલુસ દરમિયાન છાતીમાં છરી લાગી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો તે જ્યારે દરબારગઢ પાસે હતો તે દરમિયાન તાજીયાના જુલુસમાં તેને છાતીમાં છરી લાગી ગઈ હતી અને જેથી કરીને તેને રાજકોટ ખસેડાયો હતો.તે રીતે જ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઇમરાન આમદ આગરીયા નામના 30 વર્ષીય યુવાનને વાંકાનેરના શાકમાર્કેટ ચોક પાસે તાજીયા જુલુસ દરમિયાન તલવાર લાગી ગઈ હતી અને તલવાર લાગી જવાના લીધે તેને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.









