મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજાઇ: માણેકવાડાની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 


SHARE















મોરબી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાઈ જાગૃતિ અભિયાન રેલી

મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજની વાણિજ્ય શાખાની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે તિરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી ચિત્રકૂટ, ચંદ્રેશ, પુનિત, સરદારનગર, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, સરદાર બાગ વગેરે સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જાગૃતિ રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં એમ.વી. દલસાણીયા અને પ્રિન્સિપાલ ડો. પી.કે.પટેલ પણ જોડાયા હતા.

મોરબીના માણેકવાડા ગામની શાળામાં માતાની સ્મૃતિમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું 

માતા-પિતાને તેમના  પ્રિય હોય છે અને તેમના જીવતા તેમ તેમને  કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તેવા તમામ  પ્રયત્ન કરતા હોય છે. અને તેમના અવસાન બાદ સંતાનોને તેમની ખોટ કાયમી રહેતી હોય છે. પરિજનો દ્વારા પણ તેમની યાદ કાયમી સચવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે  ઘણા કુટુંબ એવા પણ છે જે તેમના સ્વજનોની યાદમાં પરોપકારના કામ પણ કરતા હોય છે  જોકે મોરબીમાં રહેતા સવિતાબેન ઓધવજીભાઈ દેત્રોજાનું ગત તા. ૨૬ જુલાઈના રોજ અવસાન થયું હતું અને માતાની યાદગીરી રૂપે તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો એવા  મનસુખભાઈ ઓધવજીભાઈ, રમેશભાઈ ઓધવજીભાઈ, જયંતિલાલભાઈ ઓધવજીભાઈ નરેશભાઈ કાંતિભાઈના હસ્તે મોરબીના માણેકવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા ૧૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું આ તકે શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓએ દેત્રોજા પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો






Latest News