મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે રાહદારી યુવાનને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે રાહદારી યુવાનને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી પાસેથી પગપાળા જઈ રહેલા યુવાનને રિક્ષા ચાલકે અડફેટ લીધો હતો જેથી કરીને તે યુવાનને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ લઈને ગયા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર જીઆઇડીસી પાસે પગપાળા ચાલીને ધનજીભાઈ દેવજીભાઈ પરમાર (ઉંમર ૩૪) રહે. પ્રેમજીનગર મકનસર વાળા જતા હતા ત્યારે તેઓને રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ધનજીભાઈ પરમારને છાતીના ભાગે ગંભીર થયો હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા ખીરઈ ગામ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વિદરકા ગામે રહેતા નાસીરભાઈ સલીમભાઈ જેડા અને લાલદાસભાઇ મનસુખભાઈ વૈષ્ણવને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માત

માળીયા હળવદ હાઇવે ઉપર આવતા અણીયારી ટોલના પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ભુજના ધાણેરીના રહેવાસી પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૩) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

ભચાઉના આંબરડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈરફાનભાઇ હુસેનભાઇ ખલીફા, ઓસમાણભાઈ હુસેનભાઇ મિયાણા, હનીફભાઈ ઉમરહુસેનભાઇ, અસલમભાઈ અને ગુલામમામદ અલીમામદને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દીપકભાઈ મુકેશભાઈ કંડારિયા (ઉંમર ૩૦)ને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની બી ડીબીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News