મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર પાસે બાઇક આડે રોજડું ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના લૂંટાવદર પાસે બાઇક આડે રોજડું ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલું લૂંટાવદર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને બે યુવાન જઇ રહ્યા હતા ત્યારે તેના બાઈક આડે રોજડું ઉતર્યું હતું જેથી કરીને બાઇક તેની સાથે અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લુટાવદર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને ચિરાગભાઈ દામજીભાઈ મારવાણીયા (૩૧) અને હિતેશભાઈ મહાદેવભાઇ મારવાણીયા (૨૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ચિરાગભાઈ તથા હિતેશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઈક સ્લીપ

ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપર આવેલ મારુતિનંદન ભગવતીધામ સોસાયટીમાં રહેતા રમીલાબેન આત્મારામભાઈ પટેલ (ઉંમર ૬૫) જડેશ્વર મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થતા વૃદ્ધાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસની જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા રુદ્રસિંહ ઝાલા (ઉંમર ૨૫) ને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ કરવામાં આવે છે જેથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રામદેવપીરના ઢોરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરતીબેન પ્રભુભાઈ (ઉંમર ૨૯) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રણુજાનગરમાં રહેતા મંગુબેન સુનિલભાઈ રંગપરીયા (ઉંમર ૪૫) ને મારામારીમાં ઈજા થઈ હતી જેથી ગભરાઈ જઈને તેણે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News