મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી
SHARE
મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી
આજે સમગ્ર ભારત દેશની અંદર ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામો ગામ લોકો દ્વારા તિરંગા લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે અને લોકોએ પોતાના ઘર, દુકાન, કારખાના વાહનો ઉપર તિરંગા લગાવવાની સાથો સાથ તાલુકા, શહેર, જિલ્લા, રાજ્ય અને દેશ લેવલે સ્વાતંત્ર પર્વની ઉજવણી ખુલ્લા આકાશમાં તિરંગા લહેરાવીને કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીના સિરામિક ઉદ્યોગની તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ પોતાના કારખાનાઓની ઉપર તિરંગા લહેરાવીને પોતાની રાષ્ટ્રભક્તિ દર્શાવી છે તો મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામેસ્ટર સીરામીક ખાતે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવવાની સાથો સાથ પર્યાવરણનું જતન કરવા માટે થઈને કારખાનેદાર સહિતના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બ્લુ ઝોન સીરામીકના માલિક મનોજભાઈ તેમજ સનવીસ્ટ સિરામિકના માલિક અરવિંદભાઇ પનારા સહિતનાઓ દ્વારા પોતાના કારખાનામાં ઠેર ઠેર તિરંગા લગાવીને હર ઘર તિરંગાના સરકારના સૂત્રને સાર્થક કરવાનું કામ કર્યું હતું આવી જ રીતે મોરબીના ઘણા બધા ઉદ્યોગકારોએ પોતાના કારખાનાઓમાં તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરેલ છે