મોરબીમાં ૩૦ જગ્યાઓએ તિરંગા એકત્રીકરણ સેન્ટર ઉભા કરાયા
SHARE
મોરબીમાં ૩૦ જગ્યાઓએ તિરંગા એકત્રીકરણ સેન્ટર ઉભા કરાયા
આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સરકાર દ્વારા હર ધર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૧૫ ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજ જ્યાં ત્યાં રખડતા હોય અને દેશની આન, બાન અને શાનનું અપમાન થતુ હોય તેને રોકવા માટે અહીંની ક્રાંતિકારી સેના દ્વારા ચાલુ વરસાદે પોતાની ફરજ સમજીને તિરંગા એકત્રિત કરવામાં આવ્યા હતા.૧૦૮ ફૂટનો તિરંગો જ્યારે આપણા શહેરમાં હોય ત્યારે આપણે તિરંગાનું મહત્ત્વ સમજવું જોઈએ અને લોકોએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તે માટે ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રીત અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે મોરબી શહેરમાં ૩૦ જેટલા સેન્ટરો છે ત્યાં મોરબીવાસીઓ તિરંગા જમા કરાવી શકે છે. ગઈકાલે ચાલુ વરસાદે પણ આ કામગીરી ગ્રુપ દ્વારા ચાલુ રાખવામાં આવી હતી









