મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

એક જ જીલ્લામાં કાયદનું જુદુજુદુ અર્થઘટન ?: વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીને પાડી દેવા રાજકીય હાથો બનતા અધિકારી !


SHARE















એક જ જીલ્લામાં કાયદનું જુદુજુદુ અર્થઘટન ? : વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીને પાડી દેવા રાજકીય હાથો બનતા અધિકારી !

મોરબી જિલ્લામાં રાજકારણ ચરમસીમાંએ હોય અને એક મેકને ભરી પીવા માટે થઈને કોઈપણ હદ સુધી રાજકારણીઓ જઈ શકે તેનો ઉત્તમ ઉદાહરણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં જોવા મળી રહ્યું છે કારણ કે વાંકાનેરની અંદર આ વખતે લોકમેળાની જે હરરાજી કરવામાં આવી તેમાં ઐતિહાસિક રકમ પાલિકાના તિજોરીમાં આવી છે અને તે ઉપરાંત જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની મંજૂરી છેલ્લી ઘડીએ ઔદ્યોગિક હેતુ માટેનું મેદાન હોવાથી રદ કરવામાં આવી છે જોકે, મોરબી જિલ્લાની અંદર અન્ય જગ્યાએ ઔદ્યોગિક હેતુ માટેના મેદાન તેમજ ખાનગી પાર્ટી પ્લોટની અંદર મેળા યોજવા માટેની મંજૂરી આપવામાં આવી છે ત્યારે એક જ જિલ્લામાં અધિકારીઓ દ્વારા જુદી જુદી રીતે કાયદાનું અર્થઘટન કરવામાં આવતું હોય અને રાજકીય હાથા બનીને અધિકારીઓ કામ કરતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખ, ઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેરનું રાજકારણ સમગ્ર મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની રહ્યો હતુ અને છેલ્લે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ પણ કરવામાં આવી ત્યાં સુધી રાજકીય રીતે અખાડા, રાજકીય ખેંચતાણ અને રાજકારણની ચરમસીમા, એકબીજાને ભરી પીવા સુધી છેલ્લી ઘડીના પ્રયાસો આ બધું જ મોરબી જિલ્લાના લોકોએ જોયું છે તેનાથી વિશેષ જો વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી નાગાબાવાની જગ્યા પાસે લોકમેળાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવતું હતું અને તે મેળાની ખોટી રીતે આ વર્ષે હરરાજી કરવામાં આવી છે તેવી પ્રાદેશિક કચેરીમાં અરજી કરવામાં આવી હતી તેના આધારે ફરીથી વાંકાનેર નગરપાલિકાના મેળા માટે થઈને હરરાજી ગોઠવવામાં આવી હતી અને તેમાં ઐતિહાસિક કહી શકાય તેટલી 11,50,000 ની આવક વાંકાનેર નગરપાલિકાની તિજોરીમાં આવેલ છે જોકે આ વર્ષે જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા બીજા શહેરની જેમ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેની મંજૂરી માટે થઈને પ્રોસેસ પણ કરાવી હતી જો કે છેલ્લી ઘડી સુધી મંજૂરી આપવામાં આવી ન હતી અને હાલમાં મળતી માહિતી મુજબ જીતુભાઈ સોમાણી દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેળાની મંજૂરી રદ કરવામાં આવી છે

વાંકાનેરના પ્રાંત અધિકારી અશોક શેરસીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક હેતુ માટેની જમીનનું મેદાન હોય ત્યાં મેળાને મંજૂરી ન આપી શકાય તેવો અભિપ્રાય આવ્યો હોવાથી હાલમાં તેઓએ આ મેળાની મંજૂરી રદ કરેલ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબી જિલ્લામાં જ આવતા મોરબી શહેરની અંદર જો ઔદ્યોગિક હેતુ માટેની જમીન ઉપર ખાનગી મેળાનું આયોજન થઈ શકતું હોય તો મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર શહેરમાં ઔદ્યોગિક હેતુ માટેની જમીનમાં લોકમેળાનું આયોજન શા માટે ખાનગી પાર્ટી ન કરી શકે તે સૌથી મોટો સવાલ છે 

આના ઉપરથી સ્પષ્ટ પણે દેખાય છે કે વાંકાનેરની અંદર અધિકારીઓ પણ રાજકારણીઓના હાથા બનીને કામ કરી રહ્યા છે એટલા જ માટે એક મેકને ભરી પીવા માટે થઈને જે રાજકીય અખાડાઓ કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક લોકોને મળવાની થતી સુવિધાઓ પણ જુટવાઈ રહી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને ખાસ કરીને વાંકાનેર ની અંદર જીતુભાઈ સોમાણીના ગ્રુપ દ્વારા જે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં રાજકારણીઓને વધુ રસ હતો કે સ્થાનિક અધિકારીઓને તે સૌથી મોટો સવાલ છે કારણ કે એક જ જિલ્લામાં અલગ અલગ રીતે સ્થાનિક અધિકારીઓ દ્વારા જે રીતે કાયદાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે તેના માટે અધિકારીઓ પણ ટીકાને પાત્ર બનાવી રહ્યું છે કાં તો વાંકાનેરના અધિકારીઓ ખોટું કરી રહ્યા છે ? અને કાં તો મોરબીના અધિકારીઓ ખોટું કરી રહ્યા છે ? તે વાત નિશ્ચિત છે.






Latest News