વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો
SHARE
સૌરાષ્ટ્ર ભરમાં ગામે ગામ આજથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેરની તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનુંનોમ નોમ અને દશમના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને આજે વાંકાનેરમાં શીતળા માતાજીના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે સવારે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ તેમજ મેળાના આયોજકોએ જણાવ્યું છે