ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો


SHARE







સૌરાષ્ટ્ર ભરમાં ગામે ગામ આજથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેરની તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનુંનોમ નોમ અને દશમના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને આજે વાંકાનેરમાં શીતળા માતાજીના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે સવારે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ તેમજ મેળાના આયોજકોએ જણાવ્યું છે






Latest News