વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો


SHARE













સૌરાષ્ટ્ર ભરમાં ગામે ગામ આજથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેરની તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનુંનોમ નોમ અને દશમના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને આજે વાંકાનેરમાં શીતળા માતાજીના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે સવારે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ તેમજ મેળાના આયોજકોએ જણાવ્યું છે






Latest News