વાંકાનેરના ઢુવા ગામે મકાનમાં જુગાર રમતા છ શખ્સો ૧૪,૪૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના કાસગંજ જિલ્લાના ગોહરા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા રાજુભાઈ પ્યારેલાલ નાયક જાતે વણઝારા આદિવાસી (ઉમર ૨૫) ગત તા. ૧૯ ના રોજ બપોરના સમયે લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે ગયો હતો અને ત્યારે નર્મદાની કેનાલના પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને પાલિકમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ સ્થળ ઉપર આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી જેથી કરીને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે