માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના કાસગંજ જિલ્લાના ગોહરા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા રાજુભાઈ પ્યારેલાલ નાયક જાતે વણઝારા આદિવાસી (ઉમર ૨૫) ગત તા૧૯ ના રોજ બપોરના સમયે લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે ગયો હતો અને ત્યારે નર્મદાની કેનાલના પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને પાલિકમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ સ્થળ ઉપર આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી જેથી કરીને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News