મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન


SHARE















મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન

મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે શનિવાર તા. ૨૭ ના રોજ સવારે ૯: ૩૦ થી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં ૧૨ કલાકે હરિભક્તો માટે ભંડારાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલનું મંડળ સુંદરકાંડના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ નાગેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે યોજાશે અને વ્યવસ્થાપક તરીકે સજુભા દોલુભા જાડેજા સેવા આપી રહ્યા છે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ નિમંત્રણ પાઠવ્યું છે.

ભંડારો યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે તા ૨૫ ના રોજ મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. જેથી કરીને શિવ ભક્જ્તો સહિતના લોકોને ભંડારનો પ્રસાદ લેવા માટે મહંત જીગ્નેશપરી બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News