મોરબીમાં લોકસંપર્ક યોજી રાજ્યમંત્રી બ્રિજેશભાઈએ અધિકારીઓને પ્રશ્ન ઉકેલવા આપી સૂચના
મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન
SHARE
મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન
મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે શનિવાર તા. ૨૭ ના રોજ સવારે ૯: ૩૦ થી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં ૧૨ કલાકે હરિભક્તો માટે ભંડારાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલનું મંડળ સુંદરકાંડના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ નાગેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે યોજાશે અને વ્યવસ્થાપક તરીકે સજુભા દોલુભા જાડેજા સેવા આપી રહ્યા છે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ નિમંત્રણ પાઠવ્યું છે.
ભંડારો યોજાશે
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે તા ૨૫ ના રોજ મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. જેથી કરીને શિવ ભક્જ્તો સહિતના લોકોને ભંડારનો પ્રસાદ લેવા માટે મહંત જીગ્નેશપરી બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.