ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન


SHARE







મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન

મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે શનિવાર તા. ૨૭ ના રોજ સવારે ૯: ૩૦ થી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં ૧૨ કલાકે હરિભક્તો માટે ભંડારાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલનું મંડળ સુંદરકાંડના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ નાગેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે યોજાશે અને વ્યવસ્થાપક તરીકે સજુભા દોલુભા જાડેજા સેવા આપી રહ્યા છે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ નિમંત્રણ પાઠવ્યું છે.

ભંડારો યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે તા ૨૫ ના રોજ મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. જેથી કરીને શિવ ભક્જ્તો સહિતના લોકોને ભંડારનો પ્રસાદ લેવા માટે મહંત જીગ્નેશપરી બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News