માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ


SHARE













મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ દેરાસર આવેલ છે ત્યાં પર્યુષણ પર્વમાં દરેક જૈનો પરિવાર સાથે જતાં હોય છે જો કે, પાલિકાના ઉપપ્રમુખ જે વિસ્તારમાં રહે છે ત્યાં જ દેરાસર પાસે વરસાદી અને ગટરના પાણી ભરાયેલા છે તો પણ પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચારેય ભાજપના સદસ્યો દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો નથી જેથી જૈનોમાં કચવાતની લાગણી છે અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા વહેલી તકે આ પ્રશ્નને ઉકેલવા માટેની માંગ કરવામાં આવી છે

હાલ જૈન ધર્મના લોકોનો પ્રજુષણનું પર્વ પણ શરૂ થઈ ગયું છે અને જેથી જૈન પરિવારો દેરાસરમાં ભગવાનનું પૂજન અર્ચન કરવા માટે જતાં હોય છે ત્યારે મોરબીના વોર્ડ નંબર ૩ માં વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસરની આસપાસ અને  અરુણોદયનગર પાસે પાણી ભરાઈ ગયેલા છે અને વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી પણ ત્યાં રોડ ઉપર આવી ગયા છે જેથી કરીને જૈન સમાજના લોકોને ગંદકીમાંથી પસાર થઈને દેવ દર્શન માટે કેવી રીતે જવું તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા જૈન દેરાસર પાસે જે પાણી ભરાયેલ છે તેનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે અને વધુમાં તેમણે કહ્યું હતું કે પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચઅરે સભ્યો ભાજપના છે તો પણ જૈન ધર્મના પવિત્ર પર્યુષણ સમયે લોકોને ગંદકીમાંથી દેરાસરે જવું પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને જૈન સમાજની લાગણી દુભાઈ રહી છે જેથી કરીને લોકોના આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું છે જે જે જગ્યાએથિ આ પાણીનો નિકાલ હતો ત્યાં ઉમા ટાઉનશીપને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે જેથી કરીને પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને હવે નવેસરથી પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી કરવાની તાતી જરૂર છે






Latest News