મોરબી: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે ૧૯ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ
SHARE
ટંકારાના નેકનામ ગામના વેપારી પાસેથી માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા કોર્ટનો આદેશ
ટંકારા તાલુકાના નેકનામ ગામના વેપારીએ ૬.૩૭ લાખનો માલ આપ્યો હતો જેની સામે રૂપિયા લેવાના થતાં હતા તે માલ લેનારે આપેલ ન હતા જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે માલના રૂપિયા ન આપનાર પેઢીને દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ કરેલ છે
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ મીલના ભાગીદાર મયુરકુમાર હેમરાજભાઈએ કપાસીયા ખોળનું વેચાણ કર્યું હતું. અને માલના ૬.૩૭ ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયા પાસે રૂપિયા લેવાના હતા પરંતુ તે રકમ ચૂકવી ન હતી જેથી કરીને વેપારીએ કરેલ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમના દાવાની તારીખથી ૯ ટકા વ્યાજે સહિતની રકમ ચુકવવાનો ક્રિષ્ના પ્રોટીન્સના પ્રોપરાઈટર જયંતીભાઈ આસોદરિયાને હુકમ કર્યો છે. આ કેસમાં ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢીના વકીલ તરીકે મોરબીના યુવા વકીલ અલ્પેશ હાલપરા રોકાયેલા હતા.









