મોરબી જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા સાર્થક વિદ્યામંદિર-વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી
SHARE
વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી
વાંકાનેરના સ્વ. મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા અને ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર મંત્રીની યાદીમાં ગયા વર્ષે વૃક્ષારોપણ અભિયાન વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને ૪૬૦૦૦ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને ૨૮૦૦૦ વૃક્ષો મોટી સંખ્યામાં વાવી આ વર્ષે પણ સ્વ મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલ હતું જેમાં વાંકાનેર શહેર તથા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, જુદીજુદી સંસ્થાઓ અને સ્કૂલો તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનેલ છે