મોરબીમાં ભરણ પોષણની રકમ નહિ ચુક્વનારા પતિને કોર્ટે ૧૬૫ દિવસની જેલની સજા ફટકારી
મોરબી જીલ્લામાં ધો. ૬ થી ઉપરના વિદ્યાર્થીઓ ફ્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે
SHARE
મોરબી જીલ્લામાં ધો. ૬ થી ઉપરના વિદ્યાર્થીઓ ફ્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે
મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં કોઈપણ વિદ્યાર્થી ધો. ૬ થી ૧૨ સુધીનો અભ્યાસ કરતો હોય તો નિશુલ્ક (ફ્રી) માં અભ્યાસ મેળવી શકે છે અને સાથે સાથે કોલેજના અભ્યાક્રમો પણ મેળવી શકે છે
વિદ્યાર્થીઓ માટે ફ્રી સ્કોલરશીપ યોજના ૨૦૨૨ સરકારે અમલમાં મૂકી છે જે યોજના હઠળ ધો.૬ થી ૧૨ માં સુધીના વિદ્યાર્થીઓ અથવા ગ્રેજ્યુએશન અને કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવા માટે તેમને આ સ્કોલરશીપ આપવામાં આવશે. આજના સમયમાં જ્યારે સ્કુલ, ટ્યુશન ક્લાસીસ અને અન્ય કોચિંગ સંસ્થાઓ દ્રારા ભણતરના અલગ અલગ અભ્યાસ કૉર્સ માટે મસમોટી (ફી) લેવામા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આ એક શુવર્ણ અવસર છે
આ યોજનાનો લાભ લેવા માટેના નિયમોમાં વિદ્યાર્થીઓ તેમનાં છેલલા વર્ષના ધોરણની પરિક્ષામાં ઓછામાં ઓછાં ૬૦ ટકા માર્કસ હોવા જરૂરી છે, આ સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષીક આવક ૪ લાખથી નીચે હોવી જોઈએ, ધો. ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અથવા ગ્રેજ્યુએશન અને કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે અપલાય કરી શકશે, વિદ્યાર્થીઓએ હાલના અભ્યાસની સ્કુલ કે કલેજનું પ્રૂફ (સ્કુલ કે કોલેજ આઇડી કાર્ડ અથવા રીઝલટ કે પછી અન્ય પ્રૂફ) સાથે રાખવાનું રહેશે. તેનાં દ્વારા તેઓ www.buddyforstudy.com વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અથવા ૮૪૬૯૭૬૧૦૮૫, ૭૯૮૪૫૧૭૧૧૧ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ૩૧ મી ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીએ અરજી કરવાની છે