રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા
SHARE
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડોએ લમણે ગોળી મારીને કરી આત્મહત્યા
મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે સાંસદના કમાન્ડોએ પોતાની સર્વિસ રિવોલ્વમાંથી પોતાના લમણે ગોળી ધરબીને આપઘાત કરી લીધેલ છે જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક કમાન્ડોએ લખેલી સુસાઇડ નોટને પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરા (૪૫) મૂળ રહે. મોટા દહીસરા માળીયા મિયાણાં વાળા સામાન્ય રીતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે જ રહેતા હોય છે જો કે, તેઓને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય બીમારીની સારવાર માટે તેઓને અગાઉ અમદાવાદ દાખલ પણ કરવામાં આવ્યા હતા જોકે, ફેફસાની બીમારી હોવાના કારણે તેઓએ બીમારીથી કંટાળીને પોતાના મોટા દહીસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી છે વધુમાં જાણવા મળતી પ્રમાણે અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જે સુસાઇડ નોટ હાલમાં માળિયા તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટમાં પણ તેઓએ આર્થિક રીતે સુખી સંપન્ન છે પરંતુ બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરે છે તેવું મૃતકે લખ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે
#mohankundaariya #aapghat #srp #morbipolice #gujaratpolice #bjp #morbibjp #gujratabjp #harshsanghvi









