રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત


SHARE









ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત

ટંકારા તાલુકાના દેવડીયા ગામ પાસે આવેલ જિનિંગ મિલના માલિક ઉપર દેણું વધી ગયું હતું જેથી કરીને તેના ટેન્શનમાં આવી જતા પોતાના જ કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને યુવા ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો જેથી તેના પરિવારજનો દ્વારા આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં આવેલ દેવડીયા ગામે રહેતા મયુરભાઈ હીરાભાઈ ભાલોડીયા જાતે પટેલ (ઉંમર ૩૨) એ દેવડીયા ગામ પાસે આવેલ પોતાના શ્રી કેટેક્ષ જીનીંગ ફેક્ટરી નામના કારખાનાની ઓફિસમાં ગઈકાલે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વઘેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક મયુરભાઈ હરિભાઈ ભાલોડીયા શ્રી કેટેક્ષ જિનિંગ મિલના કરતા હર્તા હતા અને તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બે કરોડ રૂપિયાનું દેણું ચડી ગયું હતું તેમજ પાંચ કરોડ રૂપિયાની બેંકની લોન લીધેલ હોય બેંકમાંથી ગઈકાલે ઓડિટ માટે થઈને ફોન આવ્યો હતો જેથી ટેન્શનમાં આવી જતા મયુરભાઈ હરિભાઈ ભાલોડીયાએ પોતાના કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી જીનિંગ મિલ બંધ હતી અને મૃતક મયુરભાઈ ભાલોડીયાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં ૧૦ માસનો એક દીકરો છે હાલમાં ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુભાઈ આહિરવાર (૪૫)નું કોઈ બીમારી સબબ તેના કવાર્ટરની અંદર જ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતક રાજુભાઈ આહિરવારના ભાઈ ગબ્બરભાઈ ફૂલ્લેભાઈ આહીરવાર (૪૨) રહે. મધ્યપ્રદેશ વાળાએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News