તકરાર આયોગનો ચુકાદો: મોરબીના ખેડૂતે દવાનો છંટકાવ કર્યા બાદ પાકને નુકશાન થતાં કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ
SHARE
તકરાર આયોગનો ચુકાદો: મોરબીના ખેડૂતે દવાનો છંટકાવ કર્યા બાદ પાકને નુકશાન થતાં કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ
મોરબીના વનાળીયા ગામે રહેતા ઓસમાણ જીવાભાઈ સુમરાએ ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. સામે ફરિયાદ કરી હતી કે, પોતાના ખેતરમાં બી.ટી. કપાસ પાકનું વાવેતર કરેલ જેમાં કપાસ પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. પાસેથી નેકટર પ્લસ નામની દવા લઈને તેનો છંટકાવ કરતા દવા થકી પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ હતી જે કેસ રાજકોટ જીલ્લા તકરાર નિવારણ આયોગમાં ચાલી જતાં આયોગે ૩,૬૦,૦૦૦ તથા ૬ % લેખે ચડત વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કરેલ છે
મોરબીના વનાળીયા ગામે રહેતા ખેડૂત ઓસમાણ જીવાભાઈ સુમરાએ તેના ખેતરમાં બી.ટી.કપાસનું વાવેતર કરેલ હતું અને પાકના વાવેતરની ઉપજ મેળવવા સખત મહેનત મજુરી કરેલ હતી આ કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. ની નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરેલ હતો આ દવા તેના પ્રમાણિત પ્રમાણમાં ૩૦ એમ.એલ. થકી કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે છંટકાવ કરતા દવા થકી ફરિયાદીના પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ હતી અને કપાસના છોડ લાંબા તથા બરડ થઈ ગયેલ અને ફાલફુલ સંકોચાઈ ગયેલ હતી અને કપાસની ડાળીઓ પણ સંકોચાઈ ગયેલ હતી જેની કંપનીને જાણ કરેલ હતી અને નુકશાની ચુકવવા જણાવેલ હતું
જો કે, કંપનીએ નુકશાની ચુકવવા સ્પષ્ટ ઈન્કારી કરેલ હતી જેથી કરીને નાયબ ખેતીવાડી નિયામક દ્વારા નુકશાનગ્રસ્ત પાક અને જગ્યાનું પંચરોજકામ કરવામાં આવેલ હતું અને તે અંગેની નોટીસ કંપનીને આપવામાં આવેલ તેમ છતાં અમલવારી ન કરતા તે અંગેની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ મોરબી ફરિયાદ નં .૯૩/૨૦૨૧ થી દાખલ કરેલ હતી અને આ કામમાં આયોગ દ્વારા કપાસના પાકને વિપરીત અસર થઈ નુકશાન થયેલ છે તે મુદાને પ્રોડકટ ડેફીસીયન્સી તરીકે ધ્યાને લીધેલ છે તેમજ નાયબ ખેતીવાડી અધિકારી તથા પ્રિન્સીપાલ પોલીટેકનિક દ્વારા જે પંચનામું કરવામાં આવેલ છે અને પાકની સ્થિતિ તથા આડઅસર સંબંધે દર્શાવવામાં આવેલ છે તેને આયોગે સ્વીકારેલ છે અને ફરિયાદવાળી દવા નેકટર પ્લસને ઉત્પાદીત ખામી, ક્ષતિ, ત્રુટિ વાળી અને નબળી ગુણવતા વાળી હોવાનું ઠરાવીને ફરિયાદીના કપાસના પાકને વિપરીત અસર થઈને ઉત્પાદન પણ ઘણું ઓછું આવ્યું છે જેથી કરીને ફરિયાદના એડવોકેટ દ્વારા થયેલ ધારદાર રજુઆત તથા કેસ સંબંધીત ઉચ્ચ અદાલતોના ચકાદાઓ વિગેરેને ધ્યાને રાખીને આ કેસને આર્થિક નુકશાનીનો કેસ ગણવામાં આવેલ છે અને કંપની સહિત દુકાનદાર અને ડીલરને સંયુકત અને વિભકત રીતે ફરિયાદીને ૩,૬૦,૦૦૦ અને અરજી દાખલ તારીખથી ૨કમ વસલ મળતા સુધી ૬ ટકા ના ચડત વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચના ૫,૦૦૦ની રકમ બે માસમાં ચુકવવાનો હુકમ કરેલ છે આ કામમાં ફરિયાદી પક્ષે રાજકોટના યુવા વકીલ રાજેશ યુ. પાટડીયા રોકાયેલ હતા