મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર અને જિલ્લાના લોકો વધુને વધુ શોર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં મહાભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૭મી સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિતના ૧૨૦ કલાકારો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News