ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હોય લાગી આવતા યુવાને કર્યો આપઘાત મોરબીના બેલા ગામ નજીક મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ


SHARE













મોરબીમાં યોજાનાર વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને  બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર અને જિલ્લાના લોકો વધુને વધુ શોર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં મહાભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૭મી સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિતના ૧૨૦ કલાકારો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News