ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૨ માં રહેતા ઇનાયતભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૨૫) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રેલવેના નાલા નીચે હતા ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે ઝાકીરભાઇ મહમદભાઈ રાઠોડ અને નૂરમહંમદભાઈ મકવાણા રહે બંને લક્ષ્મીપરા વાળા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઇનાયતભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે બંને આરોપીઓએ રિક્ષા વડે તેનો પીછો કર્યો હતો અને ઝાકીરભાઇ રાઠોડએ તેની પાસે રહેલ છરી વડે ઇનાયતભાઈને ઇજા કરી હતી અને નૂરમહંમદભાઈ મકવાણાએ ધોકા વડે માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીપરવાડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ બે શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૨૮) રહે. ગારીયા અને શૈલેષભાઈ મલાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૮) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News