હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત


SHARE













મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મોરબી અને માળિયા તાલુકામાં સતત વરસાદ પડ્યો છે અને સરેરાશ વરસાદ વધુ પડ્યો હોવાથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરીને મોરબી તથા માળિયા વિસ્તારમાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી મળવાપાત્ર વળતર વહેલી તકે ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે મોરબી અને માળિયા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થયેલ છે અને કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરી શક્યા નથી અને ક્યાંક વાવણી થયા બાદ ત્યાં ખેડ કે નીંદણ ન થઈ શકવાના કારણે તે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને નુકસાન વહેતું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે

ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી રાહત મળે તે માટે થઈને સરકાર દ્વારા તાત્કાલિક મોરબી અને માળિયા તાલુકા વિસ્તારમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલ નુકસાનની સામે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમને જણાવ્યું છે કે મોરબી તાલુકાના આમરણ, બગથળા, સનાળા, મહેન્દ્રનગર, ઘૂટું, રવાપર, રાજપર અને જેતપર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારો તેમજ માળિયા તાલુકાના ખાખરેચી અને મોટા દહીસરા જિલ્લા પંચાયત હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોની અંદર તાત્કાલિક અધિકારીઓ દ્વારા ખેતીના પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરેલ છે






Latest News