મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત


SHARE















મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને નુકશાન: વળતર આપવા અરવિંદભાઇ વાસદડિયાની મંત્રીને રજૂઆત

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મોરબી અને માળિયા તાલુકામાં સતત વરસાદ પડ્યો છે અને સરેરાશ વરસાદ વધુ પડ્યો હોવાથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરીને મોરબી તથા માળિયા વિસ્તારમાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી મળવાપાત્ર વળતર વહેલી તકે ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે મોરબી અને માળિયા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થયેલ છે અને કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરી શક્યા નથી અને ક્યાંક વાવણી થયા બાદ ત્યાં ખેડ કે નીંદણ ન થઈ શકવાના કારણે તે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને નુકસાન વહેતું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે

ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી રાહત મળે તે માટે થઈને સરકાર દ્વારા તાત્કાલિક મોરબી અને માળિયા તાલુકા વિસ્તારમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલ નુકસાનની સામે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમને જણાવ્યું છે કે મોરબી તાલુકાના આમરણ, બગથળા, સનાળા, મહેન્દ્રનગર, ઘૂટું, રવાપર, રાજપર અને જેતપર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારો તેમજ માળિયા તાલુકાના ખાખરેચી અને મોટા દહીસરા જિલ્લા પંચાયત હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોની અંદર તાત્કાલિક અધિકારીઓ દ્વારા ખેતીના પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરેલ છે






Latest News