મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર


SHARE













મોરબીના ધારાસભ્યએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શિક્ષકોની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને આ મુદે પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા માટે વિનંતી કરી છે

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં તમામ જિલ્લાઓના ૮૦ થી ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું અને આ બાબતે શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા હાલમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સામે મોરબી જિલ્લા સંઘ તરફથી તેઓને રજૂઆતો મળી હોવાથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવા બાબતે પુનઃ વિચારણા કરવા માટે તેમણે વિનંતી કરેલ છે




Latest News