મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર


SHARE











મોરબીના ધારાસભ્યએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શિક્ષકોની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને આ મુદે પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા માટે વિનંતી કરી છે

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં તમામ જિલ્લાઓના ૮૦ થી ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું અને આ બાબતે શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા હાલમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સામે મોરબી જિલ્લા સંઘ તરફથી તેઓને રજૂઆતો મળી હોવાથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવા બાબતે પુનઃ વિચારણા કરવા માટે તેમણે વિનંતી કરેલ છે






Latest News