મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ “શિક્ષક સજ્જતા સર્વેક્ષણ” માટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર


SHARE













મોરબીના ધારાસભ્યએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શિક્ષકોની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને આ મુદે પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે પુનઃ વિચારણા કરવા માટે વિનંતી કરી છે

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટેની છેલ્લા થોડા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘમાસાણ મચી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન મિટીંગ બોલાવવામાં આવી જેમાં તમામ જિલ્લાઓના ૮૦ થી ૯૦ ટકા શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું અને આ બાબતે શિક્ષકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મોરબી માળીયા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા હાલમાં રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાટે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સામે મોરબી જિલ્લા સંઘ તરફથી તેઓને રજૂઆતો મળી હોવાથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણએટલે કે સરકારી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવા બાબતે પુનઃ વિચારણા કરવા માટે તેમણે વિનંતી કરેલ છે






Latest News