મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવારો પહેલા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવાની માંગ ઉઠી


SHARE

















તંત્ર દ્વારા ક્યારેય ચેકીંગ નથી કરાતુંની ઉઠતી ચર્ચા ! કોરોના કાળમાં ભાવ બાંધણું પણ જરૂરી 

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં સાતમ આઠમનાં તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ચેકીંગ કરવા અને કોરોના કાળ વચ્ચે ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવો શહેરીજનોમાંથી સૂર ઉઠવા પામેલ છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક છે,લોકો દ્વારા તહેવારમાં મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી કરવામાં આવે છે, ત્યારે ફરસાણનાં વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ, મીઠાઈ બનાવવા માટે વપરાતો માવો સહિત ફરસાણમાં વપરાતી તમામ સામગ્રીનું તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે તે અનિવાર્ય છે, જો અખાદ્ય - વાસી કે જન આરોગ્ય માટે જોખમી ચીજ વસ્તુઓનો વપરાશ થતો હોય તો તેનો નાશ કરવો જોઈએ, આ ઉપરાંત બે વર્ષ થી કોરોના કાળ ચાલી રહ્યો હોય મીઠાઈ ફરસાણ નું ભાવ બાંધણું પણ કરવામાં આવે તે પણ ખાસ અનિવાર્ય છે, તહેવારો પૂર્વે રાજકોટ, મોરબી જેવા અનેક શહેરોમાં આ પ્રકારની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ વાંકાનેર શહેરમાં લાંબા સમયથી ક્યારેય પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કે ભાવ કોઈ બાંધણું પણ કરવામાં આવતું નથી ! તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.




Latest News