મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા


SHARE









વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રૂપિયાની લેતીદેતી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો ત્યારે જે વ્યક્તિને રૂપિયા આપવાના હતા તેની બદલે વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતો યુવાન આબયો હતો અને તેની સાથે બોલાચાલી થયેલ હતી બાદમાં તે યુવાનને છરીના બે શખ્સો દ્વારા જીવલેણ ચાર થી વધી ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે વાંકાનેરના પીઆઇ એન.કે.વસાવા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક અમિતભાઈના મિત્ર સાથે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોની પૈસાની લેતીદેતી થયેલ હતી અને ઈમરાન તેમજ ઇનાયતને રૂપિયા લેવાના હતા જેથી કરીને અમિતભાઈ તેના મિત્રના બદલે બનાવ વાળી જગ્યાએ આવ્યા હતા ત્યારે બોલાચાલી થયેલ હતી અને તે સમયે અમિતને ઈમરાન તેમજ ઇનાયત સહિતના ચારેક શખ્સો દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયરના ઘા ઝીકી દીધા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઈમરાન તેમજ ઇનાયત સહિતના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News