મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પુ.રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા આગામી રવિવારે તેજસ્વીતા અભીવાદન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં પુ.રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા આગામી રવિવારે તેજસ્વીતા અભીવાદન સમારોહ યોજાશે

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી તા.૧૮-૯ ને રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે કે આગામી તા.૧૮-૯ ને રવિવારના રોજ બપોરે ૨ થી ૭ પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશિપ સામે, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી - ૨ ખાતે સરસ્વતિ-વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ વખતે રેકોર્ડ બ્રેક ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે જેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની સમગ્ર ટીમ દ્વારા મોરબીમાં વસતા તમામ ભૂદેવોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે હાકલ કરવામાં આવેલ છે.જાણીતા કથાકાર અને વક્તા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને પ્રાસંગિક ઉદબોધન પણ કરવામાં આવશે માટે સર્વેને તેનો લાભ લેવા માટે પણ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News