આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા


SHARE













સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પણ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક: રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલુ છે ત્યારે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ મહાદેવને લઈને જે ટિપ્પણી કરી હતી તેને ધ્યાનમાં રાખીને કોઈનું નામ લીધા વગર વ્યાસપીઠેથી આકરી જાકણી કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, કોઈનું દિલ દુભાઈ તેવું ન કરીએ અને દરેક સંતો સનાતન ધર્મના અંગો છે અને સંપ્રદાયો સનાતન ધર્મની સમૃદ્ધિ છે પરંતુ સાંપ્રદાયિક સ્ંકિર્ણતા સનાતન ધર્મ માટે નુકશાનકારક સાબિત થશે તેવી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા લોકોના આત્માના મોક્ષર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાના મુખેથી લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે દરમિયાન આજે ભાઇશ્રી દ્વારા સનાતન ધર્મને નુકશાન કરવા માટે જે રીતે તાજેતરમાં સ્વામિ નારાયણ  સંપ્રદાયના સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આકરી ટીકા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે, બધા જ સાધુ પુરુષો સારું જ કામ કરે છે ત્યારે કોઈને ઉતારી પાડવાની પ્રવૃતિ કોઈએ ન કરવી જોઈએ અને પરસપર સહયોગ તથા સંગઠનથી કામ કરવામાં આવશે તો સનાતન ધર્મ વધુ મજબૂત બનશે આજે હું જેમ દૂભયો છું તેમ હજારો અને લાખો દુભાયા છે તેવા સમયે વાતાવરણ ન બગડે તે માટે મે વ્યાસપીઠેથી સદભાવના પૂર્વક મે અપીલ કરલે છે






Latest News