આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા બંને આરોપી જેલ હવાલે, હથિયાર કબ્જે લેવાયા: સરફરાજની શોધખોળ


SHARE













વાંકાનેરમાં યુવાનની હત્યા કરનારા બંને આરોપી જેલ હવાલે, હથિયાર કબ્જે લેવાયા: સરફરાજની શોધખોળ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને એક આરોપીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક ગત શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અત્રે ઉલેખનીય છે કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસે ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા (૨૫) લક્ષ્મીપરા વાંકાનેર અને ઇમરાન ફારૂકભાઈ આરબ (૨૩) રહે, ખોજાખાના શેરી, વાંકાનેર વાળાની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજુ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના પીઆઇ વસાવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, આરોપીઓ પાસેથી છરી અને ગુપ્તી બંને હથિયાર કબ્જે કરવામાં આવેલ છે અને એક એક્ટિવા પણ કબ્જે કર્યો છે હાલમાં આ ગુનામાં સરફરાજ મકવાણાને પકડવાનો બાકી છે જેથી કરીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News