મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા


SHARE







બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગઇકાલે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ભૂદેવોને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વર્તમાન સ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામાયણ ગરુડના પ્રસંગને ટાંકીને તેમજ અન્ય જુદાજુદા દ્રષ્ટાંતો આપીને વારંવાર સંગઠિત રહેવા માટે આગ્રહ કર્યો હતો આ તકે મોરબી માળીયા વિધાન સભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ તેમજ સમાજની જુદીજુદી પાંખોના હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News