ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

કમો ભગવાનનું ઘરેણું છે તેને ધુણાવાય નહીં નચાવાઈ નહીં, આજકાલના કલાકારો કમો લાવ્યા, હું 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતોઃ યોગેશદાન ગઢવી


SHARE













કમો ભગવાનનું ઘરેણું છે તેને ધુણાવાય નહીં નચાવાઈ નહીં, આજકાલના કલાકારો કમો લાવ્યા, હું 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતોઃ યોગેશદાન ગઢવી

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ચાલતી રમેશભાઈ ઓઝાની કથા દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગદાન ગઢવી, માયાભાઈ આહીર સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવી હતી અને લોક ડાયરાની મોજ સાથે યોગેશદાન ગઢવી દ્વારા કમાનો ઉપયોગ કરનારા કલાકારો તેમજ સનાતન હિન્દુ ધર્મ વિશે બોલનારાઓને હાથે લેવામાં આવ્યા હતા અને તેણે કહ્યું હતું કે કમો ભગવાનનું ઘરેણું કહેવાય તેને ધુણાવાય નહીં તેને નચાવાય નહીં અને આજકાલના કલાકારો કમો લઈને આવ્યા છે જો કે, હું તો આજથી 20 વર્ષ પહેલાં નમો લઈને આવ્યો હતો. જેનું આ ગુજરાત સાક્ષી છે અને દુનિયામાં સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મ છે અને મહાદેવથી મોટો કોઈ દેવ નથી

મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના પરિવાર દ્વારા કોરોના દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત આચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે કથા મંડપમાં લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર યોગેશભાઈ ગઢવી, માયાભાઈ આહીર સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ પોતાની આગની શૈલીમાં લોક ડાયરાની મોજ માણવા માટે આવેલા લોકોને મોજ કરાવી દીધી હતી દરમિયાન યોગેશદાન ગઢવીએ છેલ્લા થોડા સમયથી કમાનો ઉપયોગ કરનારા કલાકારો તેમજ સનાતન ધર્મ વિશે બોલનારાઓને આડે હાથે લેવામાં આવ્યા હતા

મોરબીમાં યોજાયેલા લોક ડાયરાના મંચ ઉપરથી યોગેશદાન ગઢવીએ કહ્યું હતું કે આજકાલના કલાકારો કમો લાવ્યા છે અને હું આજથી 20 વર્ષ પહેલા નમો લાવ્યો હતો જેનું આ ગુજરાત અને કાંતિભાઇ અમૃતિયા સાક્ષી છે અને કમોએ ભગવાનનું ઘરેણું કહેવાય તેને ધુણાવાય નહીં તેને નચાવાય નહીં અને દિવ્યાંગ કમાનો ઉપયોગ કરાય નહીં તેવી લાગણી તેણે વ્યક્ત કરી હતી તેની સાથો સાથ સનાતન હિન્દુ ધર્મ વિશે પણ કેટલાક લોકો બોલતા હોય છે ત્યારે તેને પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે દુનિયાનો સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મ છે અને મહાદેવથી મોટા કોઈ દેવ નથી તેમજ ઉમિયા માતાજીથી કોઈ મોટું નથી તેવી લાગણી યોગેશદાન ગઢવીએ મોરબીમાં યોજાયેલ લોક ડાયરાના મંચ ઉપરથી વ્યક્ત કરી હતી






Latest News