ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા


SHARE













મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા

મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતોના ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયા છે જેથી લલિતભાઈ કગથરાએ સરપંચોને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના આધારે હાલમાં ૪૨ ગામમાં ખેતીના પાકોને થયેલા નુકશાનનો સર્વે શરૂ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કેસરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસતલતુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું તે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકશન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા હતા તેવામાં ટંકારા પડધરીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ ૨૫ જેટલા સરપંચોને સાથે રાખીને રાજયના મુખ્યમંત્રીને આ અંગેની રજૂઆત કરી હતી અને પાકના નુકશાનનો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારને ખેડૂતોને વળતર આપવું જ પડશે તેવી તેઓએ લાગણી વ્યકત કરેલ છે






Latest News