મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા
SHARE
મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા
મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતોના ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયા છે જેથી લલિતભાઈ કગથરાએ સરપંચોને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના આધારે હાલમાં ૪૨ ગામમાં ખેતીના પાકોને થયેલા નુકશાનનો સર્વે શરૂ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કે, સરેરાશ વરસાદ ઘણો પડ્યો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસ, તલ, તુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું તે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને થયેલા નુકશન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા હતા તેવામાં ટંકારા પડધરીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરાએ ૨૫ જેટલા સરપંચોને સાથે રાખીને રાજયના મુખ્યમંત્રીને આ અંગેની રજૂઆત કરી હતી અને પાકના નુકશાનનો સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૪૨ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારને ખેડૂતોને વળતર આપવું જ પડશે તેવી તેઓએ લાગણી વ્યકત કરેલ છે









