ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ


SHARE













વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ જન્મદિવસ હોય દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૨ મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દરેક શહેર, જિલ્લા અને ગામડાઓ સુધી તેના જન્મદિવસની સેવાકીય કામ કરીને તેમજ કેક કટીંગ કરીને જુદી જુદી રીતે ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આજે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ગાયો માટે સુખડી બનાવવા માટેની કામગીરી સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી રહી છે અને દરરોજ ત્રણથી પાંચ ટન જેટલી સુખડીનો પ્રસાદ બનાવીને ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશોને આપવામાં આવશે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ ગાય માતાના નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ મળે તેવી શુભ ભાવના સાથે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

#narendrmodi #gujaratbjp #morbibjp #morbitoday






Latest News