મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત


SHARE













માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા ભેલા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત નીપજયું છે જેથી સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની બીજલીબેન રાકેશભાઈ સિસોદિયા જાતે કોળી ઠાકોર નામની આઠ વર્ષીય બાળકીને મૃત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી. વાળા દ્વારા તપાસ ચલાવવામાં આવતા મૃતક બાળકીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી બીજલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરબીના માળીયા મિયાણા તાલુકાના અણીયારી ગામે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયેલા વિજય ભીમાભાઇ સંગોડ નામના ૨૫ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવને પગલે પોલીસે કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ફીનાઇલ પીધું

મોરબી તાલુકાના શાપર ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ વાઘેલા નામના ૩૮ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામે ફીનાઇલ પી લેતા તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે દિલીપભાઈના પત્ની હાલ માવતર રિસામણે ગયેલા હોય અને તે બાબતે લાગી આવતા દિલીપભાઈએ પોતાના સાસરે જઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એડોન સિરામિકની નવી બનતી સાઈટ ઉપર કામ દરમિયાન ડાબા પગના ભાગે સાપ કરડી જતા શંકરભાઈ લગનભાઈ શાહ નામના ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના રહેવાસી શિવમ ઉમેશભાઈ નિમાવત નામનો યુવાન ઘરેથી કોલેજે જતો હતો ત્યારે અરુણોદયનગર ચોક પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News