વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા
Morbi Today
મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં
SHARE
મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં
ચાલુ વર્ષ સારો વરસાદ પડવાથી હાલમાં મોરબીના તમામ જળાશયોમાં પાણીની સારી આવક છે અને મોરબીનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે જેથી કરીને ગઇકાલે વાંકાનેરના જીવનદાત્રી એવા મચ્છુ ડેમ-૧ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી નવા નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને ત્યાર બાદ હોલમઢ માતાના દર્શન કરીને તમામે આશીર્વાદ લીધા હતા









