મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડે ઉજવાયો


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડે ઉજવાયો

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માઇક્રોઓર્ગેનિઝમ્સની માહિતી પૂરી પાડી હતી. ત્યારે નવયુગ મહિલા સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના ટીવાય બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા આ દિવસને ખાસ બનાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીનીઓએ માઈક્રોબાયોલોજી વિષયને અનુલક્ષીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. જેમાં “માઇક્રોઓર્ગેનિઝમ્સ લેટરીંગ ડિસ્પ્લે” એટલે કે “ઈ. કોલાઇ” બેક્ટેરિયાને પ્લેટ્સ પર ગ્રો કરાવીને અલગ અલગ આલ્ફાબેટ્સ ડિસ્પ્લે કરેલ કે જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૉલેજનું નામ “NAVYUG 2022” લખ્યુ હતું. આ ઉપરાંત તેઓએ માઈક્રોબાયોલોજી વિષય આપણી લાઈફ સ્ટાઇલ સાથે કેવી રીતે જોડાયેલો છે એ સમજાવવા માટે તેમને કાર્ટુનીંગ આર્ટ તેમજ એચ.આઈ.વી. અને એઇડ્સ જેવા ઘાતકી રોગ પ્રત્યે જાગૃતી લાવવા માટે અલગ અલગ પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને બીએસસી, એમએસસી, ડીએમએલટીની વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. આ આયોજનને સફળ બનાવવા માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપકો અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ જ્ઞાનવર્ધક ઉજવણી માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.






Latest News