આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ


SHARE













મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ

રાજકોટ રેન્જમાં આવતા જુદાજુદા જિલ્લામાં સમયાંતરે ક્રાઇમની સમિક્ષા કરવા માટે ઇન્સ્પેક્શન રાખવામા આવે છે તેવી જ રીતે આજે મોરબી જીલ્લામાં રેન્જ આઇજીની હાજરીમાં માળીયા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ રખવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરીના ગુનામાં ઘટાડો થયો છે અને હથિયાર, જુગાર તેમજ દારૂના વધુ ગુના શોધવામાં પોલીસને સફળતા મળી છે

મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન અને સમીક્ષા માટે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા એસપી કચેરી ખાતે કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કેમોરબી જિલ્લાની અંદર હત્યાના ગુનામાં ૪૨ ટકાનો ઘટાડો થયો છે તેવીજ રીતે લૂંટના ગુનામાં ૭ ટકા, ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ ટકા,  શરીર સંબંધી ગુનામાં ૧૧ ટકા અને ફેટલ અકસ્માતના ગુનામાં ૭ ટકાનો ઘટાડો થયો છે જો કે, પોલીસ દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીલ્લામાં હથિયારના ૪૨ ટકા, જુગારના ૧૨ ટકા અને દારૂના ૧૫ ટકા ગુના વધુ શોધવામાં આવેલ છે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારોને ડામવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવું પણ રેન્જ આઇજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ






Latest News