મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ


SHARE













મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ

મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં હાલ ધો. ૬થી ૯ ના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ હતી ત્યારે ભગવાન બુદ્ધે આપેલી વિપશ્યના સાધના અંતર્ગત  આનાપાન અને મૈત્રી સાધનાના અભ્યાસનું ખૂબ મહત્વ છે. બાળકો માટે સ્પેશિયલ આ કાર્યક્રમ ડિઝાઈન કરી મંત્રો અને પ્રાણાયામની સાથે બાળકો અને શિક્ષકો જોડાયા હતા. અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલયમાં સાંજના રમણીય વાતાવરણમાં બાળકોની એકાગ્ર શક્તિ વધે, મન મસ્તિક ફળદ્રુપ બને અને સ્વને ઓળખે તેમજ કાર્ય શક્તિમાં વધારો થાય તે ઉદ્દેશ્યથી આ યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પી.ટી. ટીચર ચંદ્રિકા મેડમે સુંદર રીતે વિપશ્યના સાધનાનો પરિચય આપ્યો હતો. જેમાં મુખ્ય વાહક તરીકે લેખક કવિ વિપસી સાધક એવા શૈલેષભાઈ કાલરીયાએ યોગ ગુરુની સુંદર ભૂમિકા ભજવી અને બાળકોને પ્રેરણા મળે તેવી વાચન અને ધ્યાનની બે  વાત મૂકી હતી. સૌએ એક નવો જ શાંતિનો અનુભવ કર્યો અને કાયમી 10 મિનિટ અભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો આ શિબિરના આયોજન માટે દિલીપભાઈ બારૈયા અને ભરતભાઈ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી. શિબિર માટે જરૂરી વ્યવસ્થા શાળાના આચાર્ય  પટેલ સર અને સાથી શિક્ષકમિત્રો કરી હતી..






Latest News