મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા ત્રણ શખ્સ ૯૭૦૦૦ ની રોકડ સાથે ઝડપાયા
વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત
SHARE
વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત
વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક નામના કારખાનામાં થોડ્ડા દિવસો પહેલા ગેસ લીકેજ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતાં ચાર શ્રમિકો દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન એક શ્રમિકનું મોત નીપજયું છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના સીરામીક કારખાનામાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લા સમયગાળા દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ કે પછી વધુ ગેસ આવી જવાના લીધે અથવા તો રીપેરીંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના અનેક બનેલ છે તેવી જ રીતે ગત સપ્તાહમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન આગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સિરામિક કારખાનાની અંદર ગેસ લીકેજ થવાના કારણે ચાર શ્રમિકો દાઝી ગયા હતા અને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને જે ચાર વ્યક્તિ દાઝી ગયા હતા તેમાં આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) અને પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાનો સમાવેશ થતો હતો અને આ ચાર શ્રમિકમાંથી કમલેશ રામકરણ પાલ (૩૭) નું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે તેવું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળેલ છે