મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક નામના કારખાનામાં થોડ્ડા દિવસો પહેલા ગેસ લીકેજ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતાં ચાર શ્રમિકો દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન એક શ્રમિકનું મોત નીપજયું  છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીરામીક કારખાનામાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લા સમયગાળા દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ કે પછી વધુ ગેસ આવી જવાના લીધે અથવા તો રીપેરીંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના અનેક બનેલ છે તેવી જ રીતે ગત સપ્તાહમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન આગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સિરામિક કારખાનાની અંદર ગેસ લીકેજ થવાના કારણે ચાર શ્રમિકો દાઝી ગયા હતા અને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને જે ચાર વ્યક્તિ દાઝી ગયા હતા તેમાં આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) અને પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાનો  સમાવેશ થતો હતો અને આ ચાર શ્રમિકમાંથી કમલેશ રામકરણ પાલ (૩૭) નું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે તેવું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળેલ છે






Latest News