મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિને નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ
SHARE
મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ
મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત કર્મચારી નાઝભાઈ સોલંકી અમદાવાદમાં મેડીકલ સારવાર નિયતી હોસ્પીટલમાં લીધેલ તેના પ્રથમ યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો જેથી કરીને ૭૦૯૪૫ છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે
મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો વીમો હતો અને તેણે ૭૦૯૪૫ રૂપિયાના બીલ રજુ કરેલ હતા પરંતુ વીમા કંપનીએ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તેવા કારણોસર વીમો નામંજુર કરેલ હતો પરંતુ કોર્ટ તે કારણ માન્ય રાખેલ નહી અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ બે વર્ષનાં નવ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે