મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત
SHARE
મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત
મોરબીના માધાપર વિસ્તારની બાજુમાં આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખનાર આધેડે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને દુકાનમાં આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં રહેતા અને માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખીને ધંધો કરતા દીપકભાઈ મયુરભાઈ પોપટ (ઉંમર ૫૫) એ દુકાનની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળીને દીપકભાઈ પોપટે પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે