વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા
SHARE
મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા
મોરબીના બંધુનગર ગામ પાસેથી શનિવારે સાંજના સમયે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને આ મૃતક યુવાનની હાલમાં ઓળખ થયેલ છે અને તેના પરિવારજનો પણ મોરબી આવી ગયા હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા યુવાન પુરુષની લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને સિવિલે ખસેડીને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તાલુકા પીએસઆઈ અજમેરી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર જાતે આદિવાસી (૨૯) રહે, હાલ મોરબી મૂળ ઋણજી ગામ પેટલાવાદ, જાંબવા એમપી વાળો હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારજનો હાલમાં મોરબી આવી ગયેલ છે વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યુ છે મૃતક વ્યક્તિને મુંઢ માર મરવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે